આજે દેશમાં દર કલાકે ૨ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે : કનૈયા કુમાર

આજે દેશમાં દર કલાકે ૨ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે અને ૨૪ કલાકમાં લગભગ ૨૮ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે. ખેડૂતની આત્મહત્યા માટે જે રીતે તંત્ર જવાબદાર છે તેવી જ રીતે વિદ્યાર્થીઓની આત્મહત્યા માટે પણ તંત્ર જવાબદાર છે. આ સિસ્ટમ વિદ્યાર્થીઓને પ્રેશર કુકરમાં ફેરવી રહી છે અને દરરોજ તેમના સપના વેચાઈ રહ્યા છે. કેટલી બેઠકો છે, પરીક્ષાઓ કેવી રીતે પારદર્શક રીતે લેવાશે, રોજગારીની કેટલી તકો ઉભી થશે – આની ચર્ચા કરવામાં આવતી નથી. રોજગાર આપવાના નામે દેશમાં માત્ર કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ બનાવવામાં આવી રહી છે, જે વાલીઓ પાસેથી મોટી ફી વસૂલે છે…