ગુજરાતમાં સિરિયલ બ્લાસ્ટ કરવાનો પ્લાન હતોઃ ISISનાં આતંકી શાહનવાઝની કબૂલાત

shahnawaz

ISISનાં આતંકવાદીઓના ટાર્ગેટ પર ગુજરાતનાં ગાંધીનગર, અમદાવાદ, વડોદરા અને સુરત જેવા શહેરો હતા
અત્યાર સુધીના સૌથી મોટા આતંકી વિસ્ફોટને અંજામ આપવાનું ષડયંત્ર રચવામાં આવ્યુ હતું

ઈસ્લામિક સ્ટેટ ISIS મોડ્યુલ સાથે જોડાયેલા આતંકવાદી શાહનવાઝ આલમે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા કર્યા છે. પૂછપરછમાં સામે આવ્યું છે કે ગુજરાત આતંકવાદીઓના નિશાને હતું. ગુજરાતમાં સિરિયલ બ્લાસ્ટ કરવાનો પ્લાન હોવાનો ખુલાસો થયો છે. આતંકીઓ ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ, વડોદરા અને સુરત જેવા શહેરો આતંકવાદીઓના ટાર્ગેટ પર હતા. આ સિવાય પણ આ મામલામાં અનેક ખુલાસા થયા છે.

આતંકવાદીઓના નિશાને ગુજરાત ગુજરાતના કેટલાક શહેર આતંકવાદીઓના નિશાને હોવાનું સામે આવ્યુ છે. આતંકવાદીઓએ અમદાવાદ, વડોદરા અને સુરતમાં બોંબ વિસ્ફોટની તૈયારી કરી હોવાનો ખુલાસો થયો છે. આતંકીઓએ આ માટે રેકી કરી હોવાનું પણ સામે આવ્યુ છે. આ સિવાય પણ આ મામલામાં અનેક ખુલાસા થયા છે.

ISISના આતંકી શાહનવાઝના પુછપરછમાં ખુલાસો થયો છે કે બે દિવસ સુધી અમદાવાદમાં રહીને રેલવે સ્ટેશન, સિનેમા હોલની રેકી કરવામાં આવી હતી. તેણે અટલ બ્રીજ સહિત ભીડભાડ વાળા સ્થળોની રેકી કરી હતી. ગાંધીનગરમાં RSS અને વિહિપના કાર્યાલય પણ ટાર્ગેટ પર હતા. આતંકવાદીઓએ આ સ્થળોની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી પણ કરી હતી અને વિદેશમાં બેઠેલા હેન્ડલર્સને સંપૂર્ણ વિગતો મોકલી હતી.

આતંકવાદીઓએ રેલ્વે સ્ટેશન, સિનેમા હોલ, યુનિવર્સિટી, રાજકીય નેતાઓના VIP માર્ગોનું નિરીક્ષણ કર્યું હતુ. જો કે તેમને કોઈ નિર્ણાયક માર્ગ મળ્યો ન હતો. અટલ પેડેસ્ટ્રિયન બ્રિજ તેમજ ગીચ બજાર સ્થળો, નબોહરા મસ્જિદ, અમદાવાદમાં દરગાહ, સાબરમતી આશ્રમ વગેરેની પણ રેકી કરી હતી. આતંકીઓએ આ વિસ્તારોની ફોટોગ્રાફી તેમજ વિડિયોગ્રાફી કરી હતી. આ કામ માટે તેણે ત્યાં ભાડે બાઇક લીધું હતું.

બીજા દિવસે વહેલી સવારે તેઓ ગાંધીનગર ગયા અને RSS કાર્યાલય, VHP કાર્યાલય, હાઇકોર્ટ, જિલ્લા કોર્ટ, સેશન્સ કોર્ટ, ભાજપ કાર્યાલયની મુલાકાત લીધી અને આ સ્થળોની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી.

આતંકી સાંજે વડોદરા ગયો હતો અને રેલવે સ્ટેશન પાસેની હોસ્ટેલમાં રૂમ લીધો હતો, બીજા દિવસે તેણે ભાડાનું સ્કૂટર લીધું અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ, સિવિલ કોર્ટ, રેલ્વે સ્ટેશનની રેકી કરી અને વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી. તે જ દિવસે સાંજે તે સ્કૂટર પરત કરીને ટ્રેનમાં બેસી સુરત ગયો હતો. તેણે ભાડે સ્કૂટર લઇ સુરત રેલવે સ્ટેશન પાસેની હોટલમાં રોકાયા અને બીજા દિવસે સવારે તેઓ સુરત શહેરની રેકી કરવા લાગ્યા.

સુરતમાં ફરતી વખતે તેણે આકસ્મિક રીતે સુરતમાં જ્યુઈશ સેન્ટર જોયું અને આ જગ્યાના ફોટોગ્રાફ્સ અને વીડિયોગ્રાફી કરી. આ સિવાય તેમણે સુરત જિલ્લા કોર્ટના હીરા બજારની મુલાકાત લીધી, મંદિર વિસ્તારોની મુલાકાત લીધી અને આ વિસ્તારોની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરી. સાંજ સુધીમાં તેઓ ટ્રેન દ્વારા મુંબઈ પરત ફર્યા અને ત્યાંથી પુણે પાછા ગયા. બીજા દિવસે તેણે મુલાકાત લીધેલ તમામ વિસ્તારોની PDF/PPT બનાવી અને રિપોર્ટ અબુ સુલેમાનને મોકલ્યો.

NIA દ્વારા શાહનવાઝની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ આતંકવાદી શાહનવાઝની પૂછપરછ કરી રહી છે. તે NIAનો મોસ્ટ વોન્ટેડ છે અને તેના પર 5 લાખ રૂપિયાનું ઈનામ હતું. પુણે ISIS મોડ્યુલના ઘણા આતંકવાદીઓ હજુ પણ ફરાર છે. એજન્સીઓ તેઓની શોધખોળ કરી રહી છે.

શાહનવાઝે મહારાષ્ટ્રના નાગપુરથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેણે માઈનિંગમાં એન્જિનિયરિંગ કર્યું છે. તેના મોબાઈલમાંથી ઘણા ફોટોગ્રાફ પણ મળી આવ્યા છે, જે બાદ ખુલાસો થયો છે કે તે ઘરમાં જ IED બનાવી રહ્યો હતો.

તાજેતરમાં પકડાયેલા ISIS આતંકવાદી શાહનવાઝ આલમે ખુલાસો કર્યો છે કે પુણે-મહારાષ્ટ્ર મોડ્યુલના ટાર્ગેટ પર મહારાષ્ટ્ર અને ગુજરાતના શહેરો હતા. આતંકી સંગઠન ISIS આતંકવાદીઓ દ્વારા ગોધરાકાંડનો બદલો લેવા માટે ગુજરાતમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કરાવવા માંગતું હતું.