નરેન્દ્ર મોદીની CM થી PM સુધીની ૧૩ વર્ષની સ્વર્ણિમ સફર, 22 વર્ષ પહેલાં આજના દિવસે જ PM મોદીએ સંભાળ્યુ હતું સત્તાનું સુકાન

Narendra Modi

13 વર્ષના તેમના મુખ્યમંત્રી કાર્યકાળ અને ત્યારબાદ 9 વર્ષના તેમના ભારતના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ નરેન્દ્ર મોદીએ ગુજરાતને આપી ઘણી ભેટો, ભારતનું નામ વિશ્વમાં ગૂંજતું કર્યું

“7 ઓક્ટોબર, 2001” આ તારીખ નરેન્દ્ર મોદી અને ગુજરાત સહિત ભારતીય રાજકારણના ઈતિહાસની મહત્વપૂર્ણ તારીખ છે. ૭ ઓક્ટોબર-૨૦૦૧નો એ દિવસ કે જ્યારે નેપથ્યમાં રહીને સંઘના સ્વયંસેવકથી ભાજપના સંગઠનમાં મહત્વની ભૂમિકા નિભાવનાર નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સત્તાનું સુકાન સંભાળ્યું હતું. નરેન્દ્ર મોદીએ આ દિવસે ગુજરાતમાં સત્તાનું સુકાન સંભાળ્યું હતું. અત્યાર સુધી ચૂંટણીના રાજકારણથી જોજનો દૂર રહેલા નરેન્દ્ર મોદીએ 51 વર્ષની ઉંમરમાં પહેલી વખત ગુજરાતના ૧૪મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને એ પછી શરૂ થયેલી વિકાસ યાત્રા વણથંભી રહી છે. ગુજરાતને મોડલ તરીકે પ્રસ્થાપિત કરવાથી લઈ અનેક એવા આયામો ઉમેરાયા છે કે જેના કારણે આજે ગુજરાતનું નામ દેશમાં જ નહી પણ વિશ્વમાં પણ ગૂંજી રહ્યું છે. વાઈબ્રન્ટ સમિટ ગુજરાતની ઓળખ બની ચૂકી છે અને જેનો શ્રેય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ફાળે જાય છે. ૧૩ વર્ષ સુધી મોદી ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યા અને અનેક ઘટનાઓના તેઓ સાક્ષી રહ્યા છે. ગુજરાતને નવી ઊંચાઈએ લઈ જવામાં તેમણે લીધેલા અનેક નિર્ણયો કોઈ ભૂલી શકે તેમ નથી.

મુખ્યમંત્રીનું સુકાન સંભાળ્યા બાદ ‘અગ્નિપથ’ પર ચાલવું તેમની નિયતિ બની ગઇ હતી અને નરેન્દ્ર મોદીનો સ્વભાવ મુશ્કેલીઓનો મક્કમતાપૂર્વક સામનો કરવાનો રહ્યો છે. તેથી તમામ પ્રકારના વિરોધીઓ વચ્ચે તેઓ બસ તેમના માર્ગ પર આગળ વધતા રહ્યા. જેવી રીતે આગમાં તપીને સોનું બને છે, બસ એવી જ રીતે રાજકારણના ‘અગ્નિપથ’ની ભીષણ આગમાં નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ વધુ નિખરીને ઉભર્યું છે.

૭ ઓક્ટોબર,૨૦૦૧ના રોજ ૫૧ વર્ષની ઉંમરે નરેન્દ્ર મોદીએ ગુજરાતના ૧૪મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને એ પછી શરૂ થયેલી તેમની વિકાસ યાત્રા આજે પણ અવિરત ચાલુ રહેવા પામી છે. ગુજરાતમાં તેઓ ૧૩ વર્ષ સુધી મુખ્યમંત્રી પદે રહ્યા અને ૨૦૧૩માં વડા પ્રધાન પદે બિરાજમાન થયા હતા. ગુજરાતમાં ૧૩ વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા ત્યારે નરેન્દ્ર મોદીએ અનેક નવીન યોજનાઓ અમલી કરી હતી. વાઈબ્રન્ટ સમિટ આજે ગુજરાતની ઓળખ બની ચૂકી છે તો જ્યોતિગ્રામ યોજના થકી ૨૪ કલાક વીજળી આપવાનો શ્રેય પણ તેમના ફાળે જાય છે. વડા પ્રધાન બન્યા બાદ તેમની વિકાસ યાત્રા અવિરત ચાલુ રહેવા પામી છે અને આજે વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. ખેડૂતોની હરહંમેશ ચિંતા કરનારા વડા પ્રધાને ખેડૂતો માટે કિસાન સમ્માન નિધિ યોજના જાહેર કરી અને ખેડૂતોને વાર્ષિક ૬ હજારની આર્થિક સહાય મળી રહી છે. આયુષ્યમાન કાર્ડ થકી કરોડો લોકો ૧૦ લાખ સુધીની સારવાર મફત કરાવી શકે છે અને ૩૨ કરોડથી વધારે ગરીબ લોકોને કોરોનાકાળથી લઈ અત્યાર સુધી મફતમાં રાશન આપવાનો શ્રેય પણ વડા પ્રધાનને જાય છે.

કોરોનાકાળમાં દરેક સુરક્ષિત થાય તે માટે ૧૪૦ કરોડ લોકોને વેક્સિન મફતમાં આપવામાં આવી હતી અને જેના કારણે કોરોના સામે રક્ષણ મળી શક્યું હતું. ગુજરાતમાં છેલ્લા ૨૨ વર્ષમાં ૬૯,૦૦૦ કેનાલનું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું હતું. ગુજરાતને મેટ્રો ટ્રેન પણ આપવામાં આવી છે તો બુલેટ ટ્રેનનું કામ પૂરજાેશમાં ચાલુ છે. વડા પ્રધાન તરીકે મોદીએ ૯ વર્ષમાં નવી ઊંચાઈઓ સર કરી છે અને તેમાં વિશ્વમાં ભારતનું નામ આદર સાથે લેવાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીથી લઈ વડા પ્રધાન સુધીની લાંબી સફર કાપી છે.

જ્યારે નરેન્દ્ર મોદી ગાંધીનગરની ખુરશી પર બેઠા, ત્યારે ગુજરાતનું રાજકીય અને સામાજિક પરિદૃષ્ય કંઇક એવું હતું કે મુખ્યમંત્રી તરીકે શાસન કરવું એક મોટો પડકાર હતો. કચ્છના પુનઃર્નિર્માણના વિરાટ પડકારથી લઇને રાજ્યમાં શિક્ષા, સ્વાસ્થ્ય અને કૃષિ જેવા ક્ષેત્રોની કથળી રહેલી સ્થિતિ સિવાય, ઉદ્યોગ અને મૂડી રોકાણ ક્ષેત્રમાં આકરી પ્રતિસ્પર્ધાનો સામનો કરવા માટે નરેન્દ્ર મોદીએ એક નવી યોજના તૈયાર કરી. શાસન ચલાવવાની મોદીની પોતાની એક અલગ રીત છે. કહેવાય છે કે મુખ્યમંત્રી બન્યા બાદ વહીવટી અધિકારીઓ સાથે પહેલી બેઠકમાં તેઓ શાંત બેઠા રહ્યા અને અધિકારીઓને તેમના વિચારો વ્યક્ત કરવાનું કહ્યું. આ રીતે લોકોની ક્ષમતાને ઓળખવાની તેમની રીત ચોંકાવનારી હતી.

મોદીએ પ્રવાસનની વિરાટ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને અનેક કાર્યક્રમ શરૂ કર્યા. ‘ખુશ્બૂ ગુજરાત કી’ પ્રવાસન અભિયાનથી ગુજરાતના પ્રવાસન આકર્ષણો દેશ અને વિશ્વ સમક્ષ ઉજાગર કર્યા. લાંબા સમયથી પાણીની સમસ્યાથી ઝઝૂમી રહેલા ગુજરાતમાં તેમણે આયોજનપૂર્વક કામગીરી શરૂ કરી. નર્મદા જેવી વિશાળ નદી હોવા છતાં ગુજરાતની આ સ્થિતિથી તેઓ ચિંતિત હતા. સરદાર સરોવર ડેમના નિર્માણમાં અનેક વિઘ્નો આવી રહ્યા હતા. પણ તેમણે આ મહત્વાકાંક્ષી પરિયોજનાને સાકાર કરવાનો અટલ સંકલ્પ પૂર્ણ કર્યો. આજે નર્મદાના પાણી, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાત સુધી પહોંચ્યા છે અને ખેડૂતો માટે વરદાન સાબિત થયા છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા એ ઘટનાને 22 વર્ષ પૂર્ણ થઇ ચૂક્યા છે. આજે નરેન્દ્ર-મોદી દેશના વડાપ્રધાન છે અને સમગ્ર વિશ્વમાં તેમનો ડંકો વાગી રહ્યો છે.

ગુજરાતને મળેલી કેટલી ખાસ ભેટ

13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન નરેન્દ્ર મોદીએ રાજ્યને દેશ માટે વિકાસ મોડલ તરીકે સ્થાપિત કર્યું હતું. 13 વર્ષના તેમના મુખ્યમંત્રી તરીકેનાં કાર્યકાળ અને ત્યારબાદ 9 વર્ષના તેમના ભારતના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ આમ, કુલ 22 વર્ષોમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતને ઘણી બધી ભેટ આપી છે, જે નીચે મુજબ છે:

  1. સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાની મંજુરી: 2014માં વડાપ્રધાન તરીકે શપથ લીધાના માત્ર 17 દિવસની અંદર નરેન્દ્ર મોદીએ સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાની મંજુરી આપી દીધી અને આ રીતે ગુજરાતના લોકોનું વર્ષો જૂનું સપનું આખરે સાકાર થયું.
  2. ગુજરાતને વર્ષોથી બાકી રહેલી ક્રૂડ રોયલ્ટી મળીઃ વડાપ્રધાન બન્યા પછી, નરેન્દ્ર મોદીએ માર્ચ 2015માં ક્રૂડની રોયલ્ટી સંબંધિત એક મોટી સમસ્યાનો ઉકેલ લાવવાનું નક્કી કર્યું અને ગુજરાતને ક્રૂડ ઓઈલની રોયલ્ટી તરીકે લગભગ રૂ. 800 કરોડ આપવાનો નિર્ણય કર્યો.
  3. બુલેટ ટ્રેન
  4. સેક્ટર સ્પેસિફિક એજ્યુકેશન હેઠળ ગુજરાતના વડોદરામાં રેલવે યુનિવર્સિટીની સ્થાપના.
  5. રાજકોટ ગ્રીનફિલ્ડ એરપોર્ટ
  6. ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને રક્ષા શક્તિ યુનિવર્સિટીની રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓની સ્થિતિ.
  7. એઈમ્સ, રાજકોટ
  8. કચ્છમાં વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કનું ઉદ્ઘાટન
  9. લાઇટ હાઉસ પ્રોજેક્ટ (LHP)- રાજકોટ
  10. સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે રેલ કનેક્ટિવિટી
  11. ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન, જામનગર
  12. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન
  13. ગિફ્ટ સિટીમાં ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર ઓથોરિટી (IFSCA) ના મુખ્યાલયની ઇમારતનો શિલાન્યાસ.
  14. GIFT સિટી ખાતે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX).
  15. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન
  16. તારંગા હિલ-અંબાજી-આબુ રોડ રેલ લાઇન પ્રોજેક્ટને મંજૂરી
  17. રાજ્યના પાંચ જિલ્લાઓને મેડિકલ કોલેજની ભેટ
  18. દાહોદમાં ઇલેક્ટ્રિક લોકોમોટિવ મશીન પ્રોડક્શન યુનિટનો શિલાન્યાસ
  19. ભરૂચમાં બલ્ક ડ્રગ પાર્કનું લોકાર્પણ
  20. ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ ગુજરાતમાં 1000 કિલોમીટરથી વધુ લંબાઈના રસ્તાઓનું નિર્માણ ચાલી રહ્યું છે.
  21. ગુજરાતમાં રાષ્ટ્રીય રમતોનું આયોજન
  22. ભારતના G20 પ્રમુખપદ હેઠળ ગુજરાતમાં 18 બેઠકોનું આયોજન
  23. સ્માર્ટ સિટી મિશન હેઠળ ગુજરાતમાંથી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને દાહોદ સહિત કુલ 6 શહેરો પસંદ કરવામાં આવ્યા છે.
  24. નવસારીમાં PM મિત્ર પાર્ક
  25. ભુજમાં સ્મૃતિ વન ભૂકંપ સ્મારક
  26. અંજાર, કચ્છમાં વીર બાલ સ્મારક
  27. સાબર ડેરી ચીઝ પ્લાન્ટ
  28. ભાવનગરમાં વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ પોર્ટનો શિલાન્યાસ.
  29. સાબરમતી રિવરફ્રન્ટમાં અટલ ફૂટ ઓવરબ્રિજનું બાંધકામ.
  30. નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)
  31. અંબાજી-પાવાગઢ-સોમનાથમાં પ્રવાસન વિકાસના કામો
  32. એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપવે, જૂનાગઢ
  33. એસ્ટોલ પ્રોજેક્ટ
  34. વિદ્યા સમીક્ષા કેન્દ્ર

આમ જોવા જઈએ તો, નરેન્દ્ર મોદી 7 ઓક્ટોબર, 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી શરૂ થયેલી આ યાત્રાએ વિવિધ ક્ષેત્રોમાં વિકાસના નવા માપદંડો સ્થાપિત કરીને રાજ્યને સફળતાના શિખરનો સ્પર્શ કરાવ્યો છે. મોદીના વિઝન હેઠળ ગુજરાત અને ભારત વિકાસના નવા આયામો સ્થાપી રહ્યા છે.