28 જુલાઇ વિશ્વ હિપેટાઇટિસ દિવસ: વિશ્વભરમાં લગભગ 32 કરોડ 50 લાખ લોકો હેપેટાઇટિસના શિકાર બન્યા છે

hepatitis

દર વર્ષે અસુરક્ષિત ઇન્‍જેકશનને લીધે હિપેટાઇટિસ બી વાયરસના ૩૩% નવા કેસ સામે આવે છે.

દર વર્ષે 28 જુલાઇને વિશ્વ હિપેટાઇટિસ દિવસ ઉજવવામાં આવે છે. જેનો ઉદ્દેશ્‍ય આના વિશે જાગૃતિ ફેલાવવાનો છે. સૌથી પહેલા લીવરને અસર કરનારો આ રોગ ફેલાવાનું મોટું કારણ દેશમાં અસુરક્ષિત ઇન્‍જેકશન પ્રક્રિયા છે. ડબ્‍લ્‍યૂએચઓ અનુસાર આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ દર વર્ષે અસુરક્ષિત ઇન્‍જેકશનને લીધે હિપેટાઇટિસ બી વાયરસના ૩૩% નવા કેસ સામે આવે છે. જ્‍યારે 42 % કેસ હિપેટાઇટિસ સીના દાખલ થાય છે.

શુ છે હેપેટાઈટિસ?

હિપેટાઇટિસ ને સરળ ભાષામાં કહીએ તો આ લીવરમાં થતો સોજો છે. જેનુ મુખ્ય કારણ વાયરસનુ સંક્રમણ છે. જે સામાન્ય રીતે દૂષિત ખોરાક ખાવાથી અથવા પાણી પીવાથી, સંક્રમિત વસ્તુઓનો ઉપયોગ કરવાથી ફેલાય છે. આ કારણોસર, હિપેટાઇટિસના 5 વાયરસ એ, બી, સીડી અને ઇ છે. આમાં, ટાઈપ-બી અને સી જીવલેણ સ્વરૂપ લઈને લિવર સિરોસિસ અને કેન્સરને જન્મ આપે છે. જો પ્રારંભિક સારવાર પ્રાપ્ત કરવામાં નહીં આવે, તો સ્થિતિ ગંભીર બને છે અને લીવરને સંપૂર્ણપણે નુકસાન થઈ શકે છે.

કેવી રીતે ફેલાય છે?

હેપેટાઈટિસ-બી કોઈ ખરાબ પાણી કે વિષ્ઠા દ્વારા નથી ફેલાતો, પરંતુ વધારે શારીરિક સંપર્ક, લોહી વડે, શરીરના જુદા જુદા સ્ત્રાવ જેવુ કે વીર્ય, યોનિ સ્ત્રાવ, મૂત્ર, માતાઓ દ્વારા સ્તનપાન વગેરે વડે ફેલાય છે. સાથે સાથે ભુલથી ઈંજેક્શન લગાવવાથી સોય વધારે પડતી ઘુસી જવાથી, એક જ હાઈપોડર્મિક નીડલ વડે વિસંક્રમિત રીતે કેટલાયે લોકોને ઈંજેક્શન લગાવતાં રહેવાથી, ટેટુ બનાવવાથી, નાક-કાન વિંધાવાથી, રેજર બ્લેડનો સામુહિક ઉપયોગ કરવાથી, બીજાના ટુથબ્રશન ઉપયોગ કરવાથી, અસુરક્ષિત રક્તદાન વેગેરે જેવા કારણોને લીધે ફેલાય છે.

કેટલા પ્રકારની હોય છે લિવરની આ બીમારી ?

હીપેટાઇટિસ-એ:
આ વાયરસ શરીરમાં દૂષિત ખોરાક અને પાણી દ્વારા ફેલાય છે. આવા કિસ્સાઓમાં, લિવરમાં સોજો આવે છે, ભૂખ ઓછી લાગે છે, તાવ આવે છે, ઉલટી થાય છે અને સાંધાનો દુખાવો થાય છે.

હેપેટાઇટિસ-બી:
આ વાયરસ ચેપગ્રસ્ત લોહી, સોય અથવા અસુરક્ષિત સેક્સ દ્વારા ફેલાય છે. લીવર પર અસર થવાને કારણે દર્દીને ઉલટી, થાક, પેટનો દુ:ખાવો, પીળી ત્વચા રંગ જેવી સમસ્યાઓ થાય છે. તે યકૃતનો સૌથી લાંબી બિમારી છે જે યકૃત સિરોસિસ અને કેન્સરનું સ્વરૂપ લે છે. જો સગર્ભા સ્ત્રીને ચેપ લાગે છે, તો બાળક પણ તેનાથી પીડિત થઈ શકે છે. આ વર્ષની થીમ તેને રોકવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે.

હિપેટાઇટિસ-સી:
આ વાયરસ હેપેટાઇટિસ-એ અને બી કરતા વધુ જોખમી છે. તે શરીર પર ટૈટૂ લગાડવાથી, દૂષિત લોહી ચઢાવવાથી, ચેપગ્રસ્ત સોયનો ઉપયોગ કરવાથી અથવા બીજાની શેવિંગ કીટનો ઉપયોગ કરવાથી ફેલાય છે. તેના લક્ષણો ગંભીર સ્થિતિમાં થોડા સમય પછી જ દેખાય છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHOના આંકડાકીય માહિતી અનુસાર વિશ્વભરમાં લગભગ 32 કરોડ 50 લાખ લોકો હેપેટાઇટિસના શિકાર બન્યા છે અને તેની સાથી જ જીવન જીવવા માટે મજબૂર છે. હેપેટાઇટિસ એક એવું ઇન્ફેક્શન છે જે શરીરના લિવરને અસર કરે છે. લિવર વ્યક્તિના શરીરમાં રહેલું સૌથી મોટું અંગ છે. લિવર શરીરની અલગ-અલલ ક્રિયાઓમાં મદદ કરે છે જેમ કે, જમવાનું પચાવવામાં, એનર્જી જમા કરવામાં અને શરીરમાં રહેલા ઝેરી પદાર્થોને બહાર નિકાળીને શરીરને ડીટૉક્સ કરવામાં મદદ કરે છે. હેપેટાઇટિસની સમસ્યા થવા પર લિવરમાં ઇન્ફેલેમેશન એટલે કે સોજો આવવો અને બળતરા થવાની સમસ્યા વધી જાય છે, જેના કારણે લિવર ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થવા લાગે છે અને ત્યાં સુધી કે લિવર કેન્સરનું પણ જોખમ બની શકે છે.
આ દિવસનો હેતુ છે કે હેપેટાઇટિસની બીમારી વિશે લોકોમાં જાગરૂકતા ફેલાવવી. જાણો,

હેપેટાઇટિસ વિશેની કેટલીક માહિતી:

હેપેટાઇટિસ બીમારીના સામાન્ય રીતે 5 પ્રકાર છે જે વ્યક્તિને સૌથી વધારે અસર કરે છે.
હેપેટાઇટિસ એ, બી, સી, ડી અને ઈ.
હેપેટાઇટિસ એ અને ઈ દૂષિત ભોજન અથવા પાણીના કારણે થાય છે, જેમાં આ વાયરસ હોય છે. ત્યારે હેપેટાઇટિસ બી, સી અને ડી સંક્રમિત વ્યક્તિના શરીરના તરલ પદાર્થો એટલે કે બોડી ફ્લૂઇડ્સના સીધા સંપર્કમાં આવવાથી થાય છે જેમ કે, લોહી, લાળ વગેરે. અત્યાર સુધીમાં વૈજ્ઞાનિકોએ માત્ર હેપેટાઇટિસ એ અને બીની રસી તૈયાર કરી છે. હેપેટાઇટિસના પાંચ પ્રકારમાંથી હેપેટાઇટિસ સી સૌથી વધારે જોખમી અને જીવલેણ માનવામાં આવે છે.

હેપેટાઇટિસ બીમારીના બે પ્રકાર એવા પણ છે જે સંક્રામક નથી એટલે કે તે એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાતો નથી.

અલ્કોહોલિક હેપેટાઇટિસ :

આ પ્રકારનું હેપેટાઇટિસ તે લોકોમાં જોવા મળે છે જે કેટલાય વર્ષો સુધી સતત ખૂબ જ વધારે પ્રમાણમાં દારૂ અથવા આલ્કોહોલનું સેવન કરે છે. આ લોકોમાં બીમારીના કોઇ લક્ષણ જોવા મળતા નથી અને તેમનામાં અચાનકથી જ જોન્ડિસ અને લિવર ખરાબ થવાની સ્થિતિ જોવા મળે છે. તે લોકોમાં લિવર કેન્સર થવાનું ઓઅણ જોખમ વધારે હોય છે.

ઑટોઇમ્યૂન હેપેટાઇટિસ :

આ પ્રકારના હેપેટાઇટિસમાં શરીરની ઇમ્યૂન કોશિકાઓ લિવર પર હુમલો કરવાનું શરૂ કરે છે કે જેનાથી તે ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઇ જાય છે અને કામ કરવાનું બંધ કરી દે છે. આ સ્થિતિ દુર્લભ છે, પરંતુ ખૂબ જ જોખમી પણ છે.

એવા કેટલાય લોકો છે જેમને હેપેટાઇટિસ થવાનું જોખમ વધાર હોય છે

  • સ્વાસ્થ્યકર્મચારીઓ જેવા કે ડૉક્ટર્સ, નર્સ અને લેબ પ્રોફેશનલ્સ.
  • તેવા લોકો જે હેપેટાઇટિસ અસરકારક વિસ્તારમાં મુસાફરી કરતા હોય છે.
  • જે લોકોની ઇમ્યૂન સિસ્ટમ વીક હોય છે.
  • એવા લોકો કે જે કોઇ પ્રકારની દવા અથવા ડ્રગ્સને ઇન્જેક્શન મારફતે લે છે.
  • જે લોકોને નિયમિતપણે લોહી ચઢાવવાની જરૂરત હોય છે.
  • તેવા લોકો જે નિયમિત રક્તદાન કરતા હોય છે.
  • જે લોકોને એચઆઇવીનું ઇન્ફેક્શન હોય.
  • એવા બાળકો કે જેમની માતા હેપેટાઇટિસથી સંક્રમિત હોય.
  • એવા લોકો જેમને ટેટૂ બનાવડાવ્યું અથવા પિયર્સિંગ કરાવ્યું હોય.

હેપેટાઇટિસના સામાન્ય લક્ષણ :

સામાન્ય રીતે હેપેટાઇટિસથી પીડિત દર્દીમાં કોઇ પ્રકારના કોઇ ખાસ લક્ષણ જોવા મળતા નથી અને ત્યાં સુધી તેઓ પોતાના ડાયગ્નોસિસ પણ કરાવવા જતા નથી જ્યાં સુધી તેમનું લિવર સમગ્ર પણે કામ કરવાનું બંધ ન કરી દે (લિવર ફેલિયર). જો કે, કેટલાક લોકોમાં આ લક્ષણો જોવા મળે છે.

  • સાંધામાં દુખાવો
  • ખૂબ જ તાવ આવવો
  • બીમારીનો અનુભવ થવો
  • થાક
  • ભૂખ ન લાગવી
  • પેટમાં દુખાવો
  • પીળા રંગનો પેશાબ
  • ત્વચામાં ખંજવાળ
  • ત્વચા અને આંખમાં પીળાશ આવવી
  • ઉબકા આવવા, ઉલ્ટી થવી
  • ડાયેરિયા

બીમારી જો ત્યારબાદના સ્ટેજમાં પહોંચી જાય તો દર્દીમાં કેટલાય અન્ય ગંભીર લક્ષણ પણ જોવા મળી શકે છે.

હેપેટાઇટિસ થતા રોકી શકાય છે :

આમ તો અત્યાર સુધી માત્ર હેપેટાઇટિસ એ અને બી માટે જ ટીકાકરણ ઉપલબ્ધ છે, તેમછતાં તમે સાવચેતી રાખીને હેપેટાઇટિસના બાકી પ્રકારોથી પણ બચી શકો છો.

  • કાચું ભોજન ન ખાશો.
  • ફિલ્ટર કર્યા વગરનું દૂષિત પાણી ન પીશો.
  • પોતાનું ટૂથબ્રશ, રેઝર અને હાઇજીન સાથે સંકળાયેલા બીજા ઉત્પાદનોને કોઇની પણ સાથે શેર ન કરશો.
  • નિયમિત ડોક્ટર પાસે તપાસ કરાવતા રહો અને તેમની સલાહ અનુસાર સ્વાસ્થ્યની કાળજી રાખો.