મણિપુરમાં સરકારે હિંસા કરનાર તોફાનીઓને જોતા જ ગોળી મારવાનો આદેશ આપ્યો છે. આ પહેલા હિંસાગ્રસ્ત વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી. રાજ્યમાં આગામી 5 દિવસ માટે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. હકીકતમાં બુધવારે આદિવાસીઓના પ્રદર્શન દરમિયાન હિંસા થઈ. આ પછી 8 જિલ્લામાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. આર્મી અને આસામ રાઈફલ્સની 55 કંપનીઓ તહેનાત કરવામાં આવી છે. 9000 લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી એન બિરેન સિંહ સાથે ફોન પર વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. બિરેન સિંહે આજે સવારે એક વીડિયો મેસેજે જાહેર કરીને લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી.
મણિપુરમાં તોફાનીઓને જોતાં જ ગોળી મારવાનો આદેશ
સંબંધિત ન્યૂઝ
-
રાજકોટના જામકંડોરણામાં રચાયો ઇતિહાસ, 511 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન યોજાયા
05 February, 2025 -
એક્ઝિટ પોલમાં ઓછુ પણ વાસ્તવિક પરિણામો આવે છે : આપ નેતા રીના ગુપ્તા
05 February, 2025 -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) કાયદાની જરૂરિયાત ?
04 February, 2025 -
અયોધ્યામાં દલિત યુવતીની હત્યાના કેસમાં ૩ આરોપીઓની ધરપકડ
03 February, 2025 -
દેવગઢ બારીઆ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ સંગઠનના ટીકીટ રદ થતા આક્રોશ
01 February, 2025